જીવન
જીવન

1 min

108
જીવન તો ઈશ્વરે આપેલી ભેટ છે,
એને ધૂળમાં રગદોળી કે મૂલ્યવાન
એ માનવીનાં હાથમાં છે.
ઈશ્વર થકી પ્રાપ્ત વસ્તુઓની કદર નથી,
ડુપ્લીકેટ વસ્તુઓના દામ આસમાને છે
છતાંયે સાચવણી નથી.
ભાવના માનવ જીવન એકવાર મળે છે,
જો કર્મ સારાં કરવામાં આવે તો
એ થકી ભક્તિ અને મુક્તિ મળે છે.
સમજો તો જીવન બહું જ અમૂલ્ય છે,
ન સમજાય તો મોહ માયામાં ફસાય છે
નહીં તો તારું મારું કરવામાં બગડે છે.