જાગતી દેવી
જાગતી દેવી
1 min
158
આ જગતમાં જાગતી જ્યોત દેવી છે,
કળિયુગમાં ચેહર મા ગહન સત્ય છે,
આ દુનિયામાં મમતાળુ ચેહર મા છે,
સૌના દુઃખ દૂર કરવા વાયુવેગે આવે છે,
જીવનમાં ડગલે પગલે સહાયતા કરે છે,
ભાવનાભર્યા ભાવથી એ વ્હારે ચઢે છે,
અમીનજર કરી ભક્તો પર મહેર કરે છે
ચેહર શ્રધ્ધા રાખો એવાં ફળ આપે છે,
ગોરના કૂવે મળશે ચેહર એ સત્ય છે,
ચેહર મા અંતરનાં ઓરતાં પૂર્ણ કરે છે.