ઈશ્વરકૃપા
ઈશ્વરકૃપા
1 min
705
ગઝલ મનમાં વસે
મોટી દયા તારી નથી?
એ વિનાની વાત સૂઝે
એ દશા મારી નથી.
પ્રેમની જ્યાં વાત આવે
ખીલતી સોળેકળા
તેના લીધે જિંદગી
બનતી કદી' ખારી નથી.
તારા સંગે પામતી
લાવણ્યતા જો આ ગઝલ
આ જગતને જોવા
સુંદર બીજી તો બારી નથી.
ક્રોધથી તોયે બળે એવું બની જાતું કદી',
એ જરૂરી હોય
માની એમ તે ઠારી નથી.
આ ગઝલ રૂઆબથી 'સાગર' વસે છે સૌ દિલે, ને બની જાતી અડીખમ,
ક્યાંય તે હારી નથી.