હોય છે
હોય છે
*કવિશ્રી.રમેશપારેખજીના મત્લા*પરથી તરહી ગઝલ
*સ્વપ્ન ચુંબનથી ય નાનું હોય છે;
તો ય મજિયારુ બધાનું હોય છે.
આપણે ભીતર જવાનું હોય છે;
આપણે શું માંગવાનું હોય છે.
ત્રાજવેથી લાગણીઓ માપી એ,
ઝંખનાનું અંધ પાનું હોય છે.
ઘેલછાના કેટલા જુવાળમાં;
પ્રીતનું ખતવેલ ખાનું હોય છે.
પ્રેમ નામે એક એવા રોગમાં;
રોજ મરવાનું બહાનું હોય છે.
એક સચ્ચાઈ અને આ ભ્રમ ઉપર,
જીવતર કેવું મજાનું હોય છે.