ગાંધીજી, શાસ્ત્રીજી
ગાંધીજી, શાસ્ત્રીજી
1 min
205
આ ગાંધી બાપુ, દેશનાં રાષ્ટ્રપિતા છે,
ટૂંકી પોતડી ને હૈયે દેશદાઝ રાખી છે,
લાલ બહાદુર શાસ્ત્રી રેલ્વે મંત્રી હતાં,
શાસ્ત્રીજી લોકલાડીલા નેતા હતાં,
અહિંસા, સત્યની લડતમાં સક્રિય હતાં,
દેશની આઝાદી માટે સદા સક્રિય હતાં,
રોમેરોમ ભાવના દેશ સેવા માટે રાખી છે
જય જવાન જય કિસાન નારો દીધો છે,
ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ કર્યું,
સ્વદેશી વસ્તુઓ માટે અભિયાન કર્યું,
ગાંધીને શાસ્ત્રી હર યુગમાં નથી હોતાં,
આવાં વિરલાઓ ઠેર ઠેર નથી હોતાં.