ધરતીની વેદનાં
ધરતીની વેદનાં
1 min
117
ધરતીની વેદનાં કોને સમજાય છે ?
પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે.
ધરતીનાં પેટાળ ખાલી કરી દીધાં છે,
ધરતીની અમીરાત છીનવી લીધી છે.
ભાવના ધરતીની વેદનાં ખેડૂત સમજે,
અન્ન ઉત્પાદન કરીને ધરતીને સમજે.
ધરતીની વેદનાં અન્નનો બગાડ થાય છે,
મારાં છોરું ને એંઠવાડમાં નખાય છે.
જ્યાં ત્યાં કચરો ને થૂંકી ગંદકી કરે છે,
આજે ધરતીની વેદનાં કોને સંભળાય છે ?