ભટ્ટ કુટુંબની મોટાઈ
ભટ્ટ કુટુંબની મોટાઈ
એક સત્ય બતાવુ. વિસનગર નાગર કુળની હું વહુ. ભટ્ટ કટુંબમા આવી ખુબ જ ગૌરવ અનુભવું છું. કેટલાના પરિવાર જોયા અને ઘણાના પરિવારની વાતો સાંભળી પણ સૌથી નિરાલુ મારુ ભટ્ટ કુટુંબ છે. વહુઓને પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. દીકરા દીકરીનો ભેદ નથી રાખવામાં આવતો. અને મહત્વની વાત કે આ ભટ્ટ કુળમાં ચેહર માં હાજરા હજુર બેઠા છે જે પરચા પૂરતા જ રહે છે.
અમારા ભટ્ટ કુંટુંબમા નાના મોટા બધા જ એકબીજાને માન આપે છે અને જ્યારે પ્રસંગોપાત મળવાનુ થાય ત્યારે નાના એમનાથી મોટા ને પહેલા પગે લાગી " જય માતાજી " બોલે છે. પછી જ બીજી વાત કરે.
ભટ્ટ કુંટુંબ જેવો સંપ તો મે ક્યાયે ના જોયો. ભલે બધા અલગ અલગ રહે પણ જો કોઈ એકને મુશ્કેલી પડી કે કોઈ બિમાર થાય તો બધા જ કિડાયારાની જેમ ભેગા થઈ જાય અને દોડાદોડી કરીને રાત દિવસના ઉજાગર કરી ને જેને તકલીફ હોય એની તકલીફ દૂર ના થાય ત્યાં સુધી એના પડખે જ રહે. બીજી ખુબી સુખમા હો તો વગર કામે કોઈ મળે જ નહીં કહે તમે તમારી દુનિયામાં ખુશ રહો. આ પરિવારના વડીલોના વખાણ કેમ કરવા, નાના મોટા સૌને સાથે લઇને જ ચાલે અને નિરંતર બધાના સુખની કામના કરે... આવો ભટ્ટ કુટુંબનો એક આગવો વટ છે......