આવાં જાળાં
આવાં જાળાં
1 min
464
આ ગ્રંથીઓના જાળાં દૂર કરશો,
નહીંતર પછીનાં જન્મે પણ નડશો.
સાચવીને રાખીએ ખુશીની વાત તો,
મગજ પણ હળવાશ અનુભવશો.
હરપળ અહંમ રાખીને જીવાય નહીં,
કોઈની ખુશી માટે નમવું પણ જરૂરી છે.
હાથમાં લાકડીને મગજમાં રાઈ રાખે છે
આવી રાઈના પણ ભાગલા જરૂરી છે.
જીદમાં ભાવના ઠુકરાવી દેવાઈ છે,
હવે એ ભણકારા સાંભળો જરૂરી છે.
મન, મગજ નિર્મળ રાખવું જરૂરી છે,
તો જ સુખમય જીવન જીવાય છે.