કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી,
વાસ્તવીકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી.
પગથિયા પણ પુજાય છે સાહેબ,
જો રસ્તો પ્રભુ તરફ જવાનો હોય તો...!
કોઈની બોલતી બંધ કરવા કરતાં
કોઈને બોલતા કરી દઈએ,
કારણકે...
જીવન માણવા માટે છે,
તાણવા માટે નહીં.
બસ, મહેનત કરતાં રહો સાહેબ ,
જીત મળશે
અથવા જીવવાની રીત મળશે.
માટીની દીવાલો વધારે મજબુત હતી સાહેબ,
સિમેન્ટની દીવાલો બન્યા પછી ઘર તુટવા લાગ્યા છે !!
''સરસ છે " કહીને અટકે નહીં,
"અમારે શું? " કહીને છટકે નહીં,
તે જ સાચો સ્નેહી...
વિશ્વાસ એ જીવન નો
સૌથી મોટો ખજાનો છે,
કારણ કે તેના વગર..
ના તો “પ્રેમ” શક્ય છે,
ના તો “પ્રાર્થના” .!
મુંજવણ સાથે દોડવું એના કરતાં,
સમજણ સાથે ધીમું ધીમું
ચાલવું સારું....!!
"વ્યક્તિ" તરીકે નહીં પરંતુ "વ્યક્તિત્વ" બનીને જીવો કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે.